શોક ન કર, શોક ઈન્દ્રિયોને સુકવી
નાખશે તમારી રોગ પ્રતિકારક શક્તિ
કમ થશે. તુ શેનો શોક કરે છે માનવ
જન્મ મળ્યો છે એનો શોક કરે છે.
વસ્તુનો અભાવ છે એનો શોક કરે
છે. તારી મરજી પ્રમાણે થતું નથી
એનો શોક કરે છે. શોક ન કર તારી
પાસે છે એ તારી પૂંજી છે સંતોષ
માની ખુશ રહે અને જે જોઈએ
એનો પ્રયાસ કર મળશે, ન મળે તો
ફરી પ્રયાસ કર, શોક ન કર. શોક
તને શક્તિહિન કરી દેશે, તારું સુખ
ચૈન હણી નાખશે.તારી આશા અને
ઉમીદ ને મારી નાખશે ને તને બિમાર
કરી નાખશે. એટલે શોક ન કર. સુખ
દુઃખમાં સમ રહી જે મળે તેનો હસીને
સ્વીકાર કર. શોકનું કારણ અજ્ઞાનતા
છે, સ્વધર્મ અને સ્વકર્તવ્યનો અભાવ
છે. જે કાંઈ મળ્યુ છે, તારા પૂર્વ જન્મ
ના કર્મોનો હિસાબ છે. એટલે જે પણ
પરિસ્થિતિ હોય સહર્ષ સ્વીકાર કરી
અનમોલ માનવ જન્મ મળ્યો છે તુ
શોક ન કર પણ સત્કર્મ કર તો તારો
આ જન્મ ને આગલો જન્મ સુધરી
જશે શોક તને કમજોર અને કાયર
નાકામીયાબ બનાવશે. શોક ન કર.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને
વિષાદ-શોક થયો ને તેને પોતાનો
સ્વધર્મ છોડી યુધ્ધ નહિ કરવાનો
નિર્ણય લીધો ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે
જેનો શોક કરવાનો ન તેનો તુ શોક
કરે છે ને ડાહી ડાહિ વાતો કરે છે કે
હુ સગા સામે યુધ્ધ નહિ કરું. તુ તારો
ક્ષત્રિય ધર્મ ને કર્તવ્ય ભૂલી ગયો છું.
ગીતાના જ્ઞાનથી તેનો શોક દૂર થયો
અને યુધ્ધ કરવા રાજી થયો. જીવન
માં શોક ન કર. શોક થાય તો શ્રીમદ્
ભગવદ્ ગીતાનું શરણુલે અજ્ઞાનતા,
કર્તવ્યનું ભાન થશે અને તારો શોક
પ્રસન્નતામાં પરિવર્તિત થશે.પ્રત્યેક
મુશ્કેલી, સમસ્યાનો હલ ગીતામાં
છે. કોઈ પણ સમસ્યા હલ શોક
નથી પણ સમજદારી છે.
વિનોદ આનંદ ૦૭/૦૪/૨૦૨૪
ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ